છાપાએ દાવો કર્યો છે કે મા સોનિયા અને ભાઈ રાહુલની સંસદીય સીટ રાયબરેલી અને અમેઠીમાં ચૂંટણી પ્રચાર સુધી સીમિત રહેનારી પ્રિયંકાએ વારાણસીથી ચૂંટણી લડવાની ઈચ્છા બતાવી હતી. તેમનુ કહેવુ હતુ કે મોદી આ દેશ માટે યોગ્ય નથી. તેથી તેમને રોકવા જરૂરી છે. પણ પાર્ટીએ એ માટે મંજૂરી આપી નહી. પાર્ટીના સ્થાનીક નેતાને મહત્વ આપ્યુ જેથી બહારના હોવાને નાતે મોદીને ઘેરી શકાય. અત્રે એ ઉલ્લેખનીય છે કે પાર્ટીના વારાણસીથી ઉમેદવાર અજય રાયે બે દિવસ પહેલા જ પ્રિયંકાને પ્રચાર કરવા માટે બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પ્રિયંકાએ આશ્વાસન આપ્યુ કે તે ચોક્કસ તેમની મદદ કરશે.