આ દરમિયાન આપ પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની વારાણસી ઉપસ્થિતિ વિશે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા. કારણ કે 10 મે ના રોજ સાંજે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ. ઉમેદવારો ઉપરાંત ચૂંટણી પ્રચારમાં જોડાયેલ કોઈ પણ બહારના વ્યક્તિને ચૂંટણી ક્ષેત્રમાં રોકાવવાની મંજૂરી નથી. કેટલાક મતદાન કેન્દ્રઓ પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં નાની મોટી ગરબડ થવાના સમાચાર હતા. કેટલાક મતદાન કેદ્રો પર મતદાતાઓએ તેમનુ નામ મતદાતા યાદીમાં ન હોવાની ફરિયાદ પણ કરી.