રાયબરેલીમાં સોનિયા ગાંધીનો પ્રચાર કરતા પ્રિયંકા ગાંધીએ પ્રથમ વાર પોતાના પતિ રૉબર્ટ વાડ્રાનાં મુદ્દે પ્રતિક્રીયા આપી. પ્રિયંકાએ કહ્યુ કે અને દુ:ખ થાય છે મને દુ:ખ મારા માટે નથી થતુ. મે ઈન્દિરાજી પાસેથી સીખ્યુ છે. જ્યારે સત્ય દિલમાં હોય છે તો છાતીની અંદર એક કવચ બની જાય છે. તેઓ જેટલી અમારી આલોચના કરશે અમે એટલા મજબૂત બનીશુ. દુ:ખ એ વાતનુ છે કે દેશમાં ચૂંટણી આવતા જ વિરોધી પાર્ટીઓનાં નેતા નાટક શરૂ કરે છે. ચૂંટણી વિકાસના મુદ્દા પર થવી જોઈએ વિકાસ કેવી રીતે કરીશુ ? ક્યારે કરીશુ ? આ પ્રશ્નોના બદલે ફાલતૂ વાતો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જે દેશની સંસ્કૃતિ ઉદાર છે એમા ઝેર ઓકવામાં આવી રહ્યુ છે. અમારા પરિવારે દેશ માટે અનેક કામ કર્યા છે. આ નેતાઓ મારા વિશે, મારા પતિ વિશે ગમે-તેમ નિવેદન કરે છે. પણ તેઓ જેટલા પ્રહાર કરશે, એટલા જ અમે મજબૂત થઇશુ.