આવનારી રાત પહેલા અને એ રાત પછી વારાણસીમાં જે કઈ થવાનુ છે તેની ગૂંજ લાંબા સમય સુધી સાંભળવા મળશે. આવનારી રાત પહેલા મતલબ આજે અરવિંદ કેજરીવાલ ઉમેદવારી પત્ર ભરશે તો આ રાત પછી મતલબ ગુરૂવારે નરેન્દ્ર મોદી ઉમેદવારીપત્ર ભરશે. નરેન્દ્ર મોદી સામે કેજરીવાલને પડકારનો આ બીજો તબક્કો હશે. જે અરવિંદ કેજરીવાલની અસરને આજે રાજનીતિમાં મહત્વપૂર્ણ રીતે લેવામાં આવી રહી છે, જે કેજરીવાલની રાજનીતિની નકલ દેશના બીજા દૂર દૂરના ક્ષેત્રોમાં જોવા મળી એ કેજરીવાલ પોતાની ઉમેદવારી દરમિયાન મોદી સ્ટાઈલની નકલ કરતા જોવા મળી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે કેજરીવાલ પોતાના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન પ્રસ્તાવકોમાં વારાણસીનો એક ચા વાળો પણ હશે. વારાણસીમાં દરેક દળ મોદી સાથે લડતો જોવા મળી રહ્યો છે. બધાનો પ્રયત્ન એ છે કે એક વિરોધી વોટ વહેંચાય નહી.
નામાંકન પહેલા કેજરીવાલનો એક રોડ શો હશે. કેજરીવાલ રોડ શો કરતા લહુરાબીર ચારરસ્તાથી કચેરી સુધી જશે. રોડ શો માં ગાડીઓનો કાફલો નહી હોય. ફક્ત એક ખુલી જીપ હશે. જેના પર સવાર થઈને તેઓ ઉમેદવારીપત્ર ભરશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ તેમની સાથે રહેશે. છઠ્ઠા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા થનારા આ ઉમેદવારી પત્ર પર સૌની નજર રશે. પણ તેના એક દિવસ પછી ગુરૂવારે જ્યારે દેશના 117 સંસદીય ક્ષેત્રો પર વોટ પડી રહ્યા હશે ત્યારે લોકોની નજર ફરી વારાણસી પર રહેશે કારણ કે ત્યારે મોદી ઉમેદવારી પત્ર ભરી રહ્યા હશે.