Ganpati Visarjan Muhurat 2025: ગણપતિ વિસર્જન ક્યારે અને કેટલા વાગે કરવુ, જાણી લો શુભ મુહુર્ત

બુધવાર, 3 સપ્ટેમ્બર 2025 (13:58 IST)
27 ઓગસ્ટ 2025 બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થઈને 6 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન થશે. 10 દિવસ સુધી ચાલનારા ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત ગણપતિ બાપ્પાની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. 
 
 તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે. આ મહાન તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે, જ્યારે ભગવાન ગણેશની મૂર્તિનું સંપૂર્ણ આદર અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે, તો ચાલો જાણીએ ગણેશ વિસર્જનની તારીખ, શુભ સમય વિશે-
 
ગણેશ પ્રતિમા વિસર્જનનુ શુભ મુહૂર્ત વર્ષ 2025 
 
- અભિજીત મુહૂર્ત: બપોરે 11:54 થી 12:44 સુધી.
- અમૃત કાલ: બપોરે 12:50 થી 02:23 સુધી.
- શુભ ચોઘડિયા - સવારે 07:36 થી 09:10 સુધી.
- ચર, લાભ અને અમૃત - બપોરે 12:19 થી 05:02 સુધી.
- લાભ ચોઘડિયા - સાંજે 06:37 થી 08:02 સુધી.
 
 
ગણેશ વિસર્જનના દિવસે, ભક્તો પૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે ભગવાન ગણેશને અંતિમ વિદાય આપે છે. સૌપ્રથમ, મૂર્તિની સામે ઉત્તર પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન, હળદર,કંકુ, મોદક અને અન્ય પ્રિય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પછી, આરતી કરવામાં આવે છે અને ભક્તો જાણતા કે અજાણતાં કરેલી ભૂલો માટે તેમની પાસેથી ક્ષમા માંગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર