Ganesh Chaturthi 2025: આ વિધિથી કરો ગણપતિની સ્થાપના, જાણો શુભ મુહુર્ત અને પૂજાની યોગ્ય રીત
ગુરુવાર, 21 ઑગસ્ટ 2025 (16:03 IST)
Ganesh Chaturthi 2025: ભગવાન ગણેશના જન્મોત્સ્વને ગણેશ ચતુર્થીના નામથી ઑળખવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિધ્નહર્તા ભગવાન ગણેશનો જન્મોત્સવ ઉજવાય છે. આ તિથિ અંગ્રેજી કેલેંડર મુજબ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં આવે છે.
વર્ષ 2025માં ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઓગસ્ટ બુધ વઆરે શરૂ થઈ રહ્યો છે. આગામી 10 દિવસ સુધી આ તહેવાર ચાલશે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે આ તહેવારનુ સમાપન થશે
ગણેશ સ્થાપના અને પૂજા મુહુર્ત
ગણપતિ સ્થાપન માટે મધ્યાહનનો સમય યોગ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમયે થયો હતો, તેથી ગણેશ પૂજા અથવા ગણેશ સ્થાપના આ સમયે જ કરવી જોઈએ. મધ્યાહન સમયગાળામાં ગણેશ પૂજા માટે શુભ સમય સવારે 11:05 થી બપોરે 01:40 વાગ્યા સુધીનો રહેશે. આ સમય દરમિયાન સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરો.
ગણેશ સ્થાપના અને પૂજા મુહૂર્ત
27 ઓગસ્ટ 2025 બુઘવાર
ગણેશ સ્થાપના અને પૂજાનુ ચોઘડિયા મુહુર્ત
અમૃત: સવારે 7:33 થી 9:09.
શુભ: સવારે 10:46 થી બપોરે 12:22 સુધી.
સાંજની પૂજા માટે શુભ મુહૂર્ત: 06:48 થી 7:55 વાગ્યા સુધી.
સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 05:57 થી 06:04 સુધી.
રાહુ કાલ: બપોરે 12:22 થી 01:59 સુધી.
ગણેશ સ્થાપના વિધિ (Ganesh Sthapana Vidhi)
- ગણેશજીની પૂજામાં સૌથી પહેલા આહ્વાન કરો. જેમા ભગવાન ગણેશની પ્રતિમા સામે આહ્વાન-મુદ્રામાં આહ્વાન કરો
- આહ્વાન મંત્ર વાચતા ભગવાન ગણેશની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો.
- આહ્વાન અને પ્રતિષ્ઠાપન પછી મંત્ર વાંચતા ભગવાન ગણેશને આસન માટે 5 પુષ્પ અર્પિત કરો
- આસન અર્પણ કર્યા પછી, મંત્રોનો પાઠ કરતી વખતે ભગવાન ગણેશને પગ ધોવા માટે પાણી અર્પણ કરો.
- આ પછી, અચમન માટે ભગવાન ગણેશને પાણી અર્પણ કરો.
- અચમન અર્પણ કર્યા પછી, મંત્રોનો પાઠ કરતી વખતે ભગવાન ગણેશને પાણીથી સ્નાન કરાવો.
- પાણીથી સ્નાન કર્યા પછી, ભગવાન ગણેશને પંચામૃતથી સ્નાન કરાવો.
- પંચામૃતથી સ્નાન કર્યા પછી, ભગવાન ગણેશને દૂધથી સ્નાન કરાવો.
- આ પછી, ભગવાન ગણેશને દહીં, ઘી, મધ, ખાંડ, સુગંધિત તેલથી સ્નાન કરાવો, શુદ્ધ પાણીથી સ્નાન કરાવો,