શાસ્ત્રોમાં સ્પષ્ટ વિધાન છે કે ઉત્તમ રીતે કાર્ય સંપન્ન કરવા માટે, સુખી થવા માટે, સારી રીતે સુંદર કાર્ય કરવા માટે શુભ મુહૂર્તનો સમય જો સાચવ્યો હોય તો તે કાર્ય નિર્વિઘ્ને તથા શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય છે. દરેક વ્યક્તિ સુખી થવા ઇચ્છતી હોય છે. સુખ પામવાનો દરેકનો અધિકાર છે. અહીં દિવાળીમાં જો કેટલાંક મુહૂર્ત સાચવી લેવાય તો આપણને તેના થકી સુખ મળ્યા કરે છે.
* દિવાળી તથા માર્ચ એન્ડના ચોપડા નોંધાવવાનાં મુહૂર્ત
આસો સુદ ૯, તા. ૧૩.૧૦.૨૦૧૩, રવિવાર. (વિજયા દશમી, દશેરા)