ઉત્તર પ્રદેશના ઈટાવાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી લગ્નના માત્ર બે મહિના પછી પત્નીને પિયર છોડવાને બહાને કારમાં બેહોશ કરી નાખી. ઈકદિલ પોલીસ ક્ષેત્રમાં નહેરની પાસે બેહોશ પત્નીને ફેંકીને તે ફરાર થઈ ગયો. પીડિતાએ શુક્રવારે એસએસપી કાર્યાલય પહોચીને ફરિયાદ નોંધાવી, જ્યારબાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આરોપ દહેજ પ્રતાડનાનો લગાવવામાં આવ્યો છે.
આગ્રાના બાહ પોલીસ મથક ક્ષેત્રના જૈતપુર કલાં ચર્તુભુજપુરાની રહેનારી મહિલાના લગ્ન 30 એપ્રિલના રોજ ઈટાવાના સિવિલ લાઈન અડ્ડા જુહાના નિવાસી કિતાબ સિંહ સાથે થઈ હતી. મહિલાનો આરોપ છે કે લગ્ન પછી થી જ તેને દહેજ માટે પ્રતાડિત કરવા લાગ્યા હતા. તેને રૂમમા બંધ કરીને માર મારવામાં આવતો. મોઢામાં કપડુ ઠુંસીને ધમકાવવામાં આવી.
પિયર છોડવાના બહાને નીકળ્યો હતો પતિ
પીડિતાએ જણાવ્યુ કે ગુરૂવારે પતિ તેને પિયર છોડવાને બહાને પોતાના મિત્રની કાર લઈને નીકળ્યો. પણ રસ્તામાં નશીલી દવા સુંઘાડીને તેને બેહોશ કરી દીધી. થોડા કલાક પછી જ્યારે મહિલા હોશમાં આવી તો ખુદને ઈકદિલની નહેર પાસે પડેલી જોઈ. રસ્તે જતા લોકોની મદદથી તેણે પોલીસને સૂચના આપી.
પોલીસ લઈ ગઈ પોલીસ સ્ટેશન
મહિલા પાસેથી માહિતી મેળવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને પોલીસ સ્ટેશન લાવી. ત્યારબાદ પોલીસે તેને તેના પરિવારને સોંપી દીધી. બીજા દિવસે પીડિતા તેના પરિવાર સાથે એસએસપી ઓફિસ પહોંચી. તેણે સમગ્ર મામલા અંગે એસએસપીને લેખિત ફરિયાદ કરી. તેણે કહ્યું કે લગ્ન બાદથી તેના સાસરિયાઓ વધારાના દહેજની માંગ કરી રહ્યા હતા.