મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક એવી ઘટના સામે આવી છે, જેણે માનવતાને શરમાવે છે. અહીં એક પૌત્રએ સારવારના અભાવે તેની 60 વર્ષીય બીમાર દાદીને કચરાના ઢગલામાં ફેંકી દીધી. આ હૃદયદ્રાવક ઘટના મુંબઈના આરે કોલોની વિસ્તારની છે, જ્યાં સ્થાનિકોએ એક વૃદ્ધ મહિલાને કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલી મળી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાની પૂછપરછ કરી, ત્યારે જે ખુલાસો થયો તેનાથી બધા ચોંકી ગયા.