શ્રીસંતની બોલ પર યુવરાજ ઘાયલ

ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2011 (17:56 IST)
N.D
ક્રિકેટ પ્રેમીઓ અને ભારતીય માટે એક ખરાબ સમાચાર છે. ભારતીય ટીમના બેટ્સમેન યુવરાજ સિંહને ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં આજે અભ્યાસ મેચ દરમિયાન હાથમા વાગી ગયુ છે. યુવરાજને એ સમયે વાગ્યુ જ્યારે તેઓ શ્રીસંતની બોલ પર અભ્યાસ કરી રહ્યા હતા.

વાગતાજ યુવરાજને ખૂબ દુ:ખાવો થવા માડ્યો. તેમણે તરત જ અભ્યાસ છોડી એક કિનારે બેસવુ પડ્યુ. ફિઝિયો ટીમે તેમને વાગેલ સ્થાન પર લગભગ 20 મિનિટ સુધી માલિશ કરી, પણ દુ:ખાવો ઓછો ન થયો. યુવરાજ અભ્યાસ પૂરો થયા પછી ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા ત્યા સુધી દુ:ખાવો ઓછો નહોતો થયો. જો રવિવારે ઈગ્લેંડ સામે રમાનારી મેચ માટે યુવરાજ ફિટ નહી થાય તો ભારતીય ટીમ માટે આ મોટો આંચકો ગણાશે.

વેબદુનિયા પર વાંચો