શાહરૂખ સાથે કોઈ મતભેદ નથી-ગાંગૂલી

ગુરુવાર, 22 મે 2008 (11:33 IST)
નવી દિલ્હી. કલકત્તા નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાંગૂલીએ આજે તેના અને શાહરૂખ વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. ગાંગૂલીએ મિડીયાના અહેવાલોને બકવાસ જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગાંગૂલી દ્વારા કેટલીક મહત્વપૂર્ણ મેચોમાં લેવાયેલા નિર્ણયોથી શાહરૂખ ખુશ નથી તેવા રિપોર્ટ મિડીયામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં ગાંગૂલીએ કહ્યુ હતુ કે, આ વાત તથ્યથી વેગળી છે અને ટૂંક સમયમાં આ વિષય અંગે તે ખુલાસો જાહેર કરશે.

વેબદુનિયા પર વાંચો