રાજસ્થાન રોયલ્સે ખેલાડીઓને બહાર કર્યા

ભાષા

ગુરુવાર, 16 એપ્રિલ 2009 (10:13 IST)
આઈપીએલ શરૂ થવાની ઉલટી ગણતરીના શરૂ થઈ ગઈ છે એવામાં રાજસ્થાન રોયલ્સે પોતાના સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે.જોકે રાજસ્થાન રોયલ્સની ટીમ દક્ષિણ આફ્રિકા પહુંચી ચૂકી છે.

ચોકાવનારા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે રાજસ્થાન રોયલ્સે પોતાના 7 ખેલાડીઓને ભારત રવાના કરી દીધા છે. આ સાત ખેલાડીઓમાં શાતિર ફિલ્ડર મહોમ્મદ કૈફનો પણ સમાવેશ થાય છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખેલાડીઓના નબળા પ્રદર્શનના કારણે તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જેમાં પારસ ડોગરા, દિનેશ સાલુંખે,મંઘેલા, અઝહર મલિક, અનુપ રેવનકાર અને અશરફ માંકડનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો