ભારત સરકાર ઈચ્છે છે કે ક્રિકેટ ટૂર્નામેન્ટો ફરી શરૂ થાય, મચો માટે સ્થળની પસંદગી કરવામાં આવી રહી છે, ભારત-પાકિસ્તાનના ક્રિકેટ સબંધો ફરી સ્થાપિત થશે.
ભારત અને પાકિસ્તાનના સબંધોને સુવાળા બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસોની અસર બન્ને દેશના ક્રિકેટ બોર્ડ પર જોવા મળી રહી હોય તેવું લાગે છે. પ્રાપ્ત અહેવાલો મુજબ બન્ને દેશો વચ્ચેના ક્રિકેટ સબંધો ફરી સ્થાપિત થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.
એક ખાનગી ટીવી ચેનલના અહેવાલ મુજબ ભારત સરકાર ઈચ્છે છે કે બન્ને દેશો વચ્ચે ક્રિકેટ સબંધો ફરી સ્થાપિત થાય. સૂત્રોનું માનવું છે કે તેનાથી બન્ને દેશોના સબંધોમાં સુધારો આવશે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને બન્ને દેશના ક્રિકેટ બોર્ડની ટૂંક સમયમાં બેઠક યોજાય તેવી સંભાવના છે.