નાઈટરાઈડર્સ બાંગ્લાદેશમાં ત્રણ પ્રદર્શન મેચ રમશે

ભાષા

બુધવાર, 23 ડિસેમ્બર 2009 (08:53 IST)
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો માલિકી હક ધરાવતી ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ કોલકાતા નાઈટરાઈડર્સ આગામી વર્ષ ફેબ્રુઆરીમાં બાંગ્લાદેશમાં ત્રણ પ્રદર્શન ટ્વેન્ટી-20 મેચ રમશે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) નિર્દેશક મંડળની મીરાપુરમાં યોજાયેલી બેઠક બાદ જારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.

જે અનુસાર કોલકતા નાઈટરાઈડર્સ 1 થી 5 ફેબ્રુઆરી વચ્ચે બીસીબી દ્વારા પસંદગી કરાયેલી ટીમ વિરુદ્ધ ત્રણ પ્રદર્શન ટ્વેન્ટી-20 મેચ રમશે. બાંગ્લાદેશના નવનિયુક્ત કપ્તાન મુર્તજા આઈપીએલમાં કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી રમે છે.

વેબદુનિયા પર વાંચો