એશિયા કપ : આજે ભારત-શ્રીલંકાની ટક્કર

શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (13:05 IST)
P.R
એશિયા કપમાં બાંગ્લાદેશ પર જીત નોંધાવીને આત્મવિશ્વાસથી ભરેલ ભારતીય ટીમ પડકારરૂપ મુકાબલામાં શ્રીલંકા સાથે ટકરાશે. તેમનુ લક્ષ્ય જીત પર રહેશે.

ભારતે પાંચ દેશોની આ ક્ષેત્રીય ટૂર્નામેંટના શરૂઆતી હરીફાઈમાં મેજબાન બાંગ્લાદેશ પર છ વિકેટથી જીત નોંધાવી પણ તેમની અસલી પરીક્ષા શ્રીલંકા વિરુદ્ધ છે. જેમણે વર્તમન ચેમ્પિયન પાકિસ્તાનને 12 રનથી પરાજીત કર્યુ.

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેંડની શ્રેણીમાં મળેલ નિરાશા પછી ભારતીય ટીમે પરિચિત ઉપમહાદ્વીપ પર કમબેક કર્યુ અને 280ના લક્ષ્યને મેળવીને નવ વનડેમાં પ્રથમ જીત નોંધાવી છે. આ મેચમાં કપ્તાન વિરાટ કોહલીના 136 રન અને આજિક્ય રહાણેના 73 રન સાથે 213 રનની ભાગીદારી મહત્વપૂર્ણ રહી હતી.

વેબદુનિયા પર વાંચો