સુપ્રીમ કોર્ટે આજે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પર પોતાનો નિર્ણય સંભળાવતા એન. શ્રીનિવાસનને મોટો ઝટકો આપ્યો. જે કારણે શ્રીનિવાસન હવે બીસીસીઆઈની ચૂંટણી નહી લડી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના 130 પેજના જજમેંટમાં કહ્યુ કે ગુરૂનાથ મયપ્પન અને રાજ કુંદ્રા ટીમ ઓફિસિયલ હતા. કોર્ટે કહ્યુ કે એન. શ્રીનિવાસનના જમાઈ ગુરૂનાથ મયપ્પન સટ્ટેબાજીમાં જોડાયા હતા.