સચિન તેંડુલકરને ભારત રત્ન આપવાની માંગ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે પ્રસ્તાવ મુક્યો કે એક ખેલ મ્યુઝિયમ બનાવવામાં આવે તો આ મહાન ખેલાડીના ક્રિકેટ કેરિયરની બધી માહિતી આપી શકાય.
નાણાકીય મંત્રી સુનીલ તાતકરેએ આજે બજેટ રજૂ કરતા આ પ્રસ્તાવ મુક્યો.
તેમણે કહ્યુ કે તેંડુલકર દેશનુ ગૌરવ છે અને ક્રિકેટના ક્ષેત્રમાં તેનુ ખૂબ જ યોગદાન છે અને આ મ્યુઝિયમમાં તેના કેરિયરને બતાવવાથી યુવાઓને પ્રેરણા મળશે.
આ અગાઉ મહારાષ્ટ્ર સરકાર સચિનને ભારત રત્ન આપવાની માંગ કરી ચુકી છે.