બીસીસીઆઈએ સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને સામેલ કરતા એક સલાહકાર સમિતિ બનાવી છે. આ સમિતિ પર ભારતીય ક્રિકેટની છબિ સુધારવાની જવાબદારી છે. બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ સમિતિનુ કામ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.
1. નેશનલ ટીમનું ગાઈડેંસ - આ સલાહકાર સમિતિ નેશનલ ક્રિકેટ ટીમને ગાઈડ કરશે. જેમા ક્રિકેટ ટીમની અંદર ખેલાડીઓનો તાલમેલ અને તેમની ટ્રેનિંગ અને ફિટનેસનુ ધ્યાન રાખવુ વગેરેનો સમાવેશ થઈ શકે છે. એટલુ જ નહી ત્રણેય પોતે સારા બેટ્સમેન રહી ચુક્યા છે. તેથી ટીમને બેટિંગ ટિપ્સ આપવાનુ કામ પણ આ ત્રણેયે કરવુ પડશે. સૈદ્ધાંતિક રૂપે કેમ ન હોય. ઉલ્લેખનીય છે કે ટીમને ગાઈક કરવા દરમિયાન આ સમિતિ ટીમના કોચનું પણ મૂલ્યાંકન કરશેઅને બોર્ડને કોચ રાખવા સંબંધી સલાહ પણ આપશે. પસંદગી સમિતિની રચનામાં પણ આમની મુખ્ય ભૂમિકા રહેશે. આ બધામાં વિદેશી મેદાનો પર ટીમ ઈંડિયાનુ પ્રદર્શન જોવુ સૌથી મુખ્ય કામ રહેશે.