IPL 11 ની તારીખની ઘોષણા, અહીં રમાશે પ્રથમ મેચ

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (12:26 IST)
આઈપીએલ એટલે કે ઈંડિયમ પ્રીમિયર લીગનો 11મો સીજન 7 એપ્રિલને શરૂ થશે અને તેનો ફાઈનલ 27 મે ને રમાશે. આઈપીએલ સંચાલન પરિષદએ આજે આ જાણાકારી આપી. મુંબઈમાં ઉદઘાટન સમારોહઓ આયોજન કરાશે. 
આઈપીએલ  સંચાલન પરિષદએ તેની સાથે જ મેચના સમયે ફેરફાર કરવાનો પણ ફેસલો કર્યું છે જે તે પહેલા બપોર પછી 4 વાગ્યા અને રાત્રે 8 વાગ્યા થી શરૂ થતા હતા. 
 
આઈપીએલ ના ચેયરમેન રાજીવ શુક્લાએ કહ્યું- પ્રસારકએ મેચના સમયે ફેરફાર કરવાનો આગ્રહ કર્યું હતુ અને આઈપીએલ  સંચાલન પરિષદએ  સૈદ્ધાંતિક રીતે તેને સ્વીકાર કરી લીધું છે. 
 
તેણે કહ્યું હવે 8 વાગ્યા વાળા મેચનો સીધો પ્રસારણ 7 વાગ્યાથી જ્યારે 4 વાગ્યા વાળા મેચને સાંજે 5 વાગીને 30 મિનિટ થી થશે. 
 
કિંગલે ઈલેવન પંજાબ તેમના ચાર ઘરેલૂ મેચ મોહાલી જ્યારે ત્રણ ઈંદોરમાં રમાશે. 2 વર્ષનો પ્રતિબંધ પછી આઈપીએલમાં કમબેક કરનાર રાજસ્થાન રાયલ્સના ઘરેલૂ મેચનો ફેસલો રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયની 24 જાન્યુઆરીની સુનવની પછી કરાશે. 
 
આઈપીએલની 27 અને 28 જાન્યુઆરીના રોજ હરાજી કરવામાં આવશે, જેમાં 360 ભારતીયો સહિતના 578 ખેલાડીઓ માટેની બોલી લગશે .
 
મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ, હરાજી માટે 1000 થી વધુ ખેલાડીઓ રજીસ્ટર થયા હતા, પરંતુ બીસીસીઆઈએ માત્ર 578 ખેલાડીઓની લેવાયા છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર