મંત્રાલયના અધિકારિક સૂત્રોએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી નવાઝ શરીફે માલ્ટા પ્રવાસ પર રવાના થતા પહેલા મંજુરી આપી દીધી છે. સૂત્રએ જણાવ્યુ, 'પ્રધાનમંત્રીએ પીસીબી અધ્યક્ષ શહરયાર ખાનને પત્રનો જવાબ આપી દીધો છે અને તેમણે કહ્યુ કે વર્તમન સુરક્ષા મંત્રાલય પરિસ્થિતિમાં પાકિસ્તાને શ્રીલંકામાં એક નાની શ્રેણી રમવી જોઈએ.' પ્રધાનમંત્રીએ કહ્યુ કે વિદેશી ટીમો પાકિસ્તાનમાં નથી આવી રહી અને ભારતમાં પાકિસ્તાનીઓની સુરક્ષાની સ્થિતિ સ્પષ્ટ નથી તેથી શ્રીલંકા સારો વિકલ્પ છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદનના હવાલાથી કહ્યુ, 'વર્તમાન સુરક્ષા પરિસ્થિતિમાં પીસીબીએ ભારત સાથે નાની શ્રેણી ત્રીજા સ્થાન પર રમવી જોઈએ.' તેમા કહેવામાં આવ્યુ કે પ્રધાનમંત્રી કાર્યાલયે પીસેબીએને પત્ર મોકલીને શ્રેણી માટે મંજુરી આપી દીધી છે. આ સાથે જ તેમણે સુરક્ષા હાલત પર સાવધાની પૂર્વક નજર રાખવા માટે કહેવામાં આવ્યુ છે.