શ્રીલંકાઈ ટીમના મહાન બેટ્સમેન કુમાર સંગકારા માટે બીજી ટેસ્ટ મેદાન પર ભાવનાઓનું ઘોડાપુર લઈને આવશે. જ્યા તેમની ટીમ પોતાના દિગ્ગજ બેટ્સમેનની વિદાયને યાદગાર બનાવવા માટે ઉતરશે. તો બીજી બાજુ ભારતીય ટીમ 22 વર્ષ પછી જીતની આશાઓને જીવંત રાખવાના લક્ષ્ય સાથે પી સારા ઓવલ મેદાન પર ઉતરશે.