કોલંબો ટેસ્ટ - ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (10:25 IST)
ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરુદ્ધ શરૂ થયેલ બીજી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા પ્રથમ વિકેટ ગુમાવી દીધી. મુરલી વિજય ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા. તેઓ ધમ્મિકા પ્રસાદની બોલ પર એલબીડબલ્યુ આઉટ થઈ ગયા. 
 
લોકેશ રાહુલ અને અંજિક્ય રહાણે રમી રહ્યા છે. પત્ર લખતા સુધી ભરતે એક વિકેટના નુકશાન પર 4 રન બનાવી લીધા હતા. 
 
ભારતીય ટીમમાં ત્રણ ફેરફર કરવામાં આવ્યા છે. ઘાયલ શિખર ધવનના સ્થાન પર મુરલી વિજય હરભજન સિંહના સ્થાન પર સ્ટુઅર્ટ બિન્ની અને વરુણ એરોનના સ્થાન પર ઉમેશ યાદવને ટીમમાં લેવામાં આવ્યા છે 
 
શ્રીલંકાઈ ટીમના મહાન બેટ્સમેન કુમાર સંગકારા માટે બીજી ટેસ્ટ મેદાન પર ભાવનાઓનું ઘોડાપુર લઈને આવશે. જ્યા તેમની ટીમ પોતાના દિગ્ગજ બેટ્સમેનની વિદાયને યાદગાર બનાવવા માટે ઉતરશે. તો બીજી બાજુ ભારતીય ટીમ 22 વર્ષ પછી જીતની આશાઓને જીવંત રાખવાના લક્ષ્ય સાથે પી સારા ઓવલ મેદાન પર ઉતરશે. 
 

વેબદુનિયા પર વાંચો