ટીમ ઈંડિયાએ 22 વર્ષ પછી શ્રીલંકાને તેના જ મેદાન પર ટેસ્ટ શ્રેણીમાં હરાવવામાં સફળતા મેળવી છે. આ જીત એ માટે મહત્વપુર્ણ છે કારણ કે વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈંડિયા પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતી. મહેમાન ટીમે મેજબાન શ્રીલંકાને જીત માટે 386 રનનું ટારગેટ આપ્યુ હતુ. પણ તેના બધા બેટ્સમેન ઈંડિયન પેસ બેટરી ઈશાંત શર્મા અને અશ્વિનની ફિરકી સામે કશુ ખાસ ન કરી શક્યા અને 268 રન પર પેવેલિયન પરત ફર્યા. ટીમ ઈંડિયાએ આ મેચ 117 રનથી જીતી.