Corona Update India:- ગયા 24 કલાકમાં આવેલ કોરોનાના 44,658 નવા કેસ એકલા કેરળમાં 30 હજારથી વધારે કેસ

શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (11:19 IST)
ભારતમાં કોરોના વાયરસ ( Corona case in India) ના 44,658 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગયા 24 કલાકના દરમિયાન 496 દર્દીઓની મોત થઈ ગઈ. નવા કેસ આવ્યા પછી દેશમાં કોરોનાના કુળ દર્દીઇઓની સંખ્યા હવે 3,26,03,188 થઈ ગઈ છે. જ્યારે 496 દર્દીઓની મોત પછી સંક્રમણથી મરનારાઓની આંકડા 4,36,861 પર પહોંચી ગયો છે. 
 
કેંદ્રીય સ્વાથય મંત્રાલયએ જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દી હવે 3.44 લાખ થઈ ગયા છે. જે કુલૅ કેસનો 1.06 ટકા છે. સ્વાસ્થય મંત્રાલય મુજબ ગયા 25 કલાકોમાં દેશભરમાં કોવિડથી 32,988 લોકો સાજા પણ થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,18,21,428 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 3,44,899 છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર