ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત, 24 કલાકમાં 1067 કેસ

મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (10:32 IST)
ગુજરાતમાં સતત કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના 1067 નવા કેસ કેસ સામે આવ્યા છે. તો આજે પ્રદેશમાં વધુ 13 લોકોના મોત થયા છે. 
 
રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના અનુસાર ગુજરાતમાં સંક્રમિત કેસની સંખ્યા 87,846 સુધી પહોંચી ગઇ છે. તો બીજી તરફ કોરોનાથી થનાર મોતનો આંકડો 2910 સુધી પહોંચી ગયો છે. 
 
આજે 1021 દર્દી થયા ડિસ્ચાર્જ થયા છે. રાજ્યની હોસ્પિટલમાંથી આજે 1021 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અત્યાર સુધી 70250 લોકોની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી છે. તો બીજી તરફ રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80 % ટકા છે.  રાજ્યમાં હાલ 14686 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 75 છે. જ્યારે 14611 લોકો સ્ટેબલ છે. 70250 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2910 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 13 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18,19,198 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1067 કેસ નોંધાયેલા છે. 24 કલાકમાં સુરત 229,અમદાવાદ 165,વડોદરા 120,રાજકોટ 98,જામનગર 86,ભાવનગર 49,પંચમહાલ 27,ગાંધીનગર-જૂનાગઢ 26,કચ્છ 25,ગીરસોમનાથ 20,મોરબી 17,અમરેલી 16,બનાસકાંઠા-ભરૂચ-મહેસાણા 14,દ્વારકા 13,પાટણ 12,મહીસાગર-પોરબંદર 11,નવસારી 10,બોટાદ 9,દાહોદ-નર્મદા-તાપી 8,ખેડા 7,અરવલ્લી 6,સાબરકાંઠા-વલસાડ 5,આણંદ 4,છોટાઉદેપુર-સુરેન્દ્રનગર 2 કેસ*
 
 

10:36 AM, 25th Aug
● રાજ્યમાં કુલ કેસ : 87846
● રાજ્યમાં કુલ મોત : 2910
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 70250
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 30362
•વડોદરા-7316
•સુરત-18850
•રાજકોટ-4049
•ભાવનગર-2455
•આણંદ-712
•ગાંધીનગર-2168
•પાટણ-886
•ભરૂચ-1405
•નર્મદા-553
‌•બનાસકાંઠા-1009
‌•પંચમહાલ-1221
•છોટાઉદેપુર-252
•અરવલ્લી-379
•મહેસાણા-1456
•કચ્છ-1138
•બોટાદ-446
•પોરબંદર-275
•ગીર-સોમનાથ-852
•દાહોદ-1078
•ખેડા-886
•મહીસાગર-539
•સાબરકાંઠા-654
•નવસારી-813
•વલસાડ-921
•ડાંગ- 41
•દ્વારકા-183
•તાપી-257
•જામનગર-2006
•જૂનાગઢ-1562
•મોરબી-766
•સુરેન્દ્રનગર-1098
•અમરેલી-1105 કેસ નોંધાયા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર