બાળકોને સવારે નાસ્તો આપો.
રિસર્ચથી એ વાતો સામે આવી છે કે સવારનો નાસ્તો કરવાથી બાળકોની શીખવાની ક્ષમતા વધે છે. આથી બાળકોને ખાવામાં સ્વસ્થ આહાર આપો. આ ઉપરાંત સાથે તેમને ખાવા માટે પૂરો સમય પણ આપો.
ઈનામ રૂપે ચાકલેટ કે મિઠાઇ ના આપો.
બાળકને ખુશ કરવા માટે તેમને ઇનામમાં મિઠાઇ કે ચાકલેટ ન આપશો. તેના બદલે તેને પાર્ક કે બિચ પર ફરવા લઇ જાઓ. ફરવા જવાથી તેમનો વ્યાયામ પણ થઇ જશે.