ચંદ્રયાનની સફળતા માટે સીમા હૈદરે રાખ્યું વ્રત

બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:49 IST)
ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ માટે દેશનો દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો છે. મંદિરોમાં પૂજા, યજ્ઞ અને હવન કરવામાં આવી રહ્યા છે અને મસ્જિદોમાં ચંદ્રયાન માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
 
ખાસ વાત આ છે કે પાકિસ્તાનથી પોતાના પ્રેમી સચિન મીણા માટે ભારત આવેલી સીમા હૈદરે (Seema Haider) પણ તેના પર વ્રત રાખ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સીમા હૈદરે ચંદ્રયાન-3ના ચાંદ પરના સફળ લેન્ડિંગ માટે વ્રત રાખ્યું છે. 
 
સીમા હૈદરે ભગવાનને પ્રાર્થના કરતા પ્રતિજ્ઞા લીધી છે કે ચંદ્રયાનના સફળ ઉતરાણ સુધી તેમનો ઉપવાસ ચાલુ રહેશે. સીમાએ કહ્યું કે તેની તબિયત સારી નથી, તેમ છતાં તે ઉપવાસ કરી રહી છે કારણ કે તેનાથી વિશ્વમાં ભારતનો પ્રભાવ વધશે. તેમને રાધા-કૃષ્ણ પ્રત્યે ખૂબ જ આદર છે.

Edited By - Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર