- સેંસેક્સ 12 અંક વધીને 23,166 અને નિફ્તી 7029 સ્તર પર વેપાર કરી રહ્યો છે.
- બજેટ પહેલા સ્ટોક માર્કેટ્માં સુસ્ત કારોબાર
નાણામંત્રી દ્વારા બજેટ રજુ કરવામાં થોડાક જ કલાક બાકી છે. નાણાકીય મંત્રી અરુણ જેટલી નાણાકીય રાજ્યમંત્રી જયંત સિન્હા સાથે સંસદ ભવન પહોંચી ચુક્યા છે. 11 વાગ્યે તેમના બજેટ ભાષણની શરૂઆત થશે. આવામાં એ જાણવુ જરૂરી છે કે બજેટમાં આજે શુ એલાન શક્ય છે. આ વખતે પણ નાણાકીય મંત્રી પાસે આશા રાખી શકાય છે કે ટેક્સ છૂટની લિમીટ વધારે. સૂત્રો મુજબ 50 હજાર સુધીની છૂટ સીમા વધારી શકાય છે. મતલબ અઢી લાખને બદલે 3 લાખ રૂપિયાની આવક પર છૂટ આપવાનુ એલાન થઈ શકે છે.
ટીડીએસ ઓછુ થઈ શકે છે ?
આ ઉપરાંત ટીડીએસને લઈને મોટુ એલાન થઈ શકે છે. ટીડીએસ મતલબ સ્ત્રોત પર ટેક્સ ઓછો થઈ શકે છે. આ સમયે બેંકમાં જમા પૈસા પર 10 હજાર રૂપિયાથી વહ્દુ વ્યાજ મળવા પર ટીડીએસ લેવામાં આવી શકે છે. જેને વધારીને 15 હજાર કરી શકાય છે. ટીડીએસ 10 ટકાના દરે આપવો પડે છે જેને પાંચ ટકા કરવાની શક્યતા છે.
નાણાંપ્રધાન અરૂણ જેટલી આવતી કાલે સોમવારે નવા નાણાકીય વર્ષ માટે દેશનું રાષ્ટ્રીય બજેટ જ્યારે એનડીએ સરકારનુ્ ત્રીજુ બજેટ 2016-17 સંસદમાં રજૂ કરશે. આ બજેટ દેશનો આર્થિક વિકાસ દર, સરકારી ફાઈનાન્સ અને સુધારાની દિશા સ્થિરતા મેળવે તે વિશેની ચિંતા વચ્ચે રજૂ કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં રૂપિયાની કેવી રહેશે તેનો આધાર પણ અરૂણ જેટલીના કેન્દ્રીય બજેટ ઉપર રહેશે.
જેટલી બજેટમાં કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની જાહેરાત કરે એવી ધારણા છે. ગયા વર્ષના બજેટમાં એમણે કહ્યું હતું કે આ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 25 ટકા સુધી લાવી દેવામાં આવશે.
ઈન્વેસ્ટરોની નજર નાણાકીય ખાધને ઘટાડવા સરકાર બજેટમાં કેવા પગલાંની જાહેરાત કરે છે તેની પર છે. જેટલીએ ગયા વર્ષે નાણાકીય ખાધને ઘટાડવાનાં પગલાં વિશે કહેલું કે 2015-16માં ખાધ 3.9 ટકા હતી, 2016-17માં 3.5 ટકા અને 2017-18માં 3 ટકા સુધી નીચે લાવી દેવામાં આવશે.
ઈન્વેસ્ટરો બજેટના ટેક્સ માળખામાં ફેરફારની પણ આશા રાખે છે. તેમની નજર આઈટી ક્ષેત્ર સંબંધિત સરકારની ઘોષણા ઉપર છે. વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં રાહત મળે, વિવિધ મૂડીરોકાણ યોજનાઓમાં કરવેરા મુક્તિમર્યાદા વધારવાની જાહેરાત કરાય એવી પણ લોકો આશા રાખીને બેઠા છે.
નાણાંપ્રધાન અરુણ જેટલી આવતીકાલે સંસદમાં તો તેમાં સૌથી વધુ જોર કૃષિ અને ગ્રામિણ વિકાસ પર જોવા મળી શકે છે. તેનું કારણ છે. તેનું કારણ છે બજેટ પહેલા કૃષિ ક્ષેત્રને પાટા પર લાવવાની એક મોટી કવાયત. સાચા અર્થમાં કૃષિ ક્ષેત્ર પર બજેટને લઇને અત્યાર સુધીની સૌથી મોટી કવાયત છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર થઈ છે.
અટકળો એવી પણ છે કે હાઉસીંગ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા ઘરની ખરીદી પર નિયમો અને પ્રક્રિયાને સરળ બનાવવા અને હાઉસીંગ લોન પર વ્યાજ માટે કપાતની મર્યાદામાં વધારો થઈ શકે છે. ખેડૂતોને પણ સસ્તા દરે સરળતાથી ધિરાણ મળે અને વ્યાજ વગર કે રાહત દરે ટૂંકાગાળાની લોન મળે તેવા પ્રબંધો બજેટમાં લઈ શકે છે.
આ બજેટમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરને પ્રોત્સાહિત કરવાનો અભિગામ જરૃર દેખાશે. નાણામંત્રી ડ્યુટી કરચોરીને ડામવા કેટલીક રાહતો સાથે કડક દૃષ્ટિકોણ અપનાવી શકે છે. કસ્ટમ ડ્યુટી રેટમાં સુધારા સંભવ છે. કેમિકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા કોઈ નવી જાહેરાતો થઈ શકે છે. મૂડી રોકાણ વધારવા અને વિકાસના ક્ષેત્રે પ્રભાવી પ્રગતિ માટે પણ જોગવાઈઓ થઈ શકે છે. ટેક્સટાઈલ ક્ષેત્રમાં પ્રાણ ફૂંકવા યાર્નના આયાત ટેક્સમાં ઘટાડો થવો સંભવ છે. એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં ઘટાડો થઈ શકે છે.
ડિજિટલ ઈન્ડિયા અને સ્ટાર્ટ-અપ જેવા અભિગમોના સંદર્ભે કોઈ નવી યોજનાઓ જાહેર થઈ શકે છે. મુદ્રા બેંક ઉપરાંત આઈ.ટી. ક્ષેત્રના સેવા વ્યવસાયો અને ગ્રામ્ય સેવાઓ માટે વ્યાવસાયિકો અને સાહસિકોને પ્રોત્સાહિત કરવા નવી જાહેરાતો થવી સંભવ છે.
આ અટકળો વચ્ચે સોમવારે નાણામંત્રી દેશને કેવું બજેટ આપશે, તેના પર સૌની મીટ મંડોલી છે. અર્થતંત્રની મજબૂતી જાળવવાની સાથે સાથે, દેશભરમાં કટાક્ષો અને ટીકાઓ થઈ રહેલી હોવાથી 'અચ્છે દિન'ના સૂત્રને સાર્થક કરવા ગરીબ-મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ-બાળકો માટે કોઈ વિશેષ જાહેરાતો થઈ શકે છે