Yaariyan 2 ના સીન પર થયો વિવાદ, ફિલ્મના મેકર્સને આપી ચેતવણી

મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (10:06 IST)
Yaariyan 2 Controversy: 'યારિયાં 2' 2014માં આવેલી ફિલ્મ 'યારિયાં'ની સિક્વલ છે. ફિલ્મ 'યારિયાં'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. તેના પહેલા ભાગમાં હિમાંશ કોહલી, રકુલ પ્રીત સિંહ, સેરાહ સિંહ, દેવ શર્મા અને નિકોલ ફારિયા મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે આ ફિલ્મ 'યારિયાં 2'ના બીજા ભાગમાં દિવ્યા ખોસલા, મીઝાન જાફરી અને પર્લ વી પુરી મુખ્ય ભૂમિકામાં છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. એસજીપીસીએ ફિલ્મના નિર્માતાઓને ચેતવણી આપી છે કે જો ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે.
આ સીન પર થયો વિવાદ
દિવ્યા કુમાર ખોસલા, મીઝાન જાફરી અને પર્લ વી પુરી સ્ટારર ફિલ્મ 'યારિયાં 2'માં એક સીનને લઈને વિવાદ છેડાયો છે અને ફિલ્મના નિર્માતાઓ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મના ગીત 'સૌરે ઘર'માં અભિનેતા મીઝાન જાફરીએ કિરપાણ પહેરી છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આ ગીત સામે વાંધો ઉઠાવ્યો છે અને નિર્માતાઓને ચેતવણી આપી છે.
 
ફિલ્મના મેકર્સને  મળી ચેતવણી 
એસજીપીસીએ આ દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે અને નિર્માતાઓને ચેતવણી આપી છે કે અભિનેતાએ ફિલ્મમાં કિરપાન પહેરી છે જ્યારે તેના વાળ કપાયેલા છે. SGPC ચીફ હરજિન્દર સિંહ ધામીએ કેન્દ્રીય પ્રસારણ મંત્રાલય અને ભારત સરકારને આ દ્રશ્ય હટાવવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે જો આ સીન હટાવવામાં નહીં આવે તો શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ગીતને યુટ્યુબ પરથી હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ  
આ ફિલ્મનું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રુએ કર્યું છે. આ ફિલ્મ 20 ઓક્ટોબર 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થવાની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર