સુત્રો કહે છે કે, વિજ્ઞાપન ખર્ચ ઉપર કાબુ મેળવવા માટે કંપની આમીરની જગ્યાએ બીજા કોઇપણને પણ બ્રાન્ડ એમ્બેસેડર ન બનાવે તેવી શકયતા છે. આમીર સાથે અસહિષ્ણુતાનો મામલો જોડાયો છે. વિવાદ બાદ સ્નેપડીલને પણ સહન કરવુ પડયુ હતુ. આમીરને આ બીજો ઝટકો લાગ્યો છે. ગયા મહિને પ્રવાસન મંત્રાલયે અતુલ્ય ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારીમાંથી મુકત કર્યો હતો.