ટ્વિટર પર અભિજીતે એક પછી એક અનેક ટ્વીટ્સ કર્યા અને ગુલામ અલીને બેશરમ અને લગ્નના કવ્વાલ કહી નાખ્યા. અભિજીતે સૌ પહેલા લખ્યુ, 'કેટલી વાર ભગાડ્યા, પણ આ બેશરમોનું કોઈ આત્મસન્માન નથી. તેમને આતંક સિવાય કોઈ કામ નથી. પણ અમે બીજા પ્રેસ્ટિટ્યૂટ્સની સાથે તેમનુ પણ પેટ ભરીએ છીએ.' બીજી બાજુ પોતાના આગળના ટ્વીટમાં તેમણે લખ્યુ, 'શટ અપ લગ્નના કવ્વાલોને આપણે માથે ચઢાવ્યા છે. રાહ જુઓ.. એ દિવસની જ્યારે તમને હવાલા સિંગર્સને અસલી પડશે... માય ફુટ' અભિજીતનો ગુસ્સો આટલાથી જ શાંત નહોતો થયો અને તેમણે ફરી પોતાની ભડાશ કાઢતા લખ્યુ, 'આ કવ્વાલ પોતાના મેરિટને કારણે નહી પણ પોતાના પાકિસ્તાની દલાલોને કારણથી અહી આવે છે. પોતાના ટ્વીટમાં તેમણે મહેશ ભટ્ટને પણ ટૈગ કર્યા છે.