સાદિયાના આ નિર્ણયથી ફિલ્મના ડાયરેક્ટર સંજય શર્મા હેરાન છે. સંજય શર્માએ કહ્યુ કે જ્યારે એશ્વર્યા રાય, કરીના કપૂર. શ્રીદેવી અને માધુરી દિક્ષિત જેવી અભિનેત્રીઓ આ પ્રકારના સીન કરે છે તો સાદિયાને શુ વાંધો છે.
સૂત્રો મુજબ સાદિયાએ ફિલ્મની યૂનિટને પોતાના આ નિર્ણયની સ્પષ્ટતા આપી છે. સાદિયાએ કહ્યુ, "ભારત જેવા દેશમાં જો અભિનેત્રીઓ આ રીતના સીન કરે છે તો તે બધા માટે સ્વભાવિક છે પણ પાકિસ્તાન જેવા રૂઢિવાદી મુસ્લિમ દેશમાં આ સાર્વજનિક રૂપે કબુલ નથી કરી શકાતુ."