રણબીર-કેટરીના નવેમ્બરમાં લગ્ન કરશે

મંગળવાર, 28 એપ્રિલ 2015 (11:55 IST)
પોતાના લગ્ન માટે અનેકવાર ચર્ચામાં આવેલ બોલીવુડના મોસ્ટ પૉપુલર લવ બર્ડ્સ રણવીર કપૂર અને કટરીના કેફના ફૈંસ માટે એક ગુડ ન્યુઝ છે. સમાચારનુ માનીએ તો રણવીર અને કેટરીનાના લગ્નને લઈને અનેકવાર નવી નવી વાતો સામે આવી રહી છે. હવે કહેવાય રહ્યુ છે કે બંને સ્ટાર્સ આ વર્ષ નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાય શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે રણવીર અને કટરીના એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ સમાચાર વર્ષોથી આવી રહ્યા છે અને ફક્ત એટલુ જ નહી બંને એક સાથે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહે છે. જો કે કેટરીના અને રણવીર આ રિલેશનશિપને સ્વીકાર કરવાથી અચકાતા રહે છે.  થોડા દિવસ પહેલા કૈટઈના અને રણબીરની સગાઈના સમાચાર આવ્યા હતા.  એવા સમાચાર હતા કે બંને સ્ટાર્સે 30 ડિસેમ્બર 2014ના રોજ લંડનમાં  સગાઈ કરી લીધી. હવે જોવાનુ એ છે કે શુ સાચે જ રણવીર અને કેટરીના આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી લેશે. 

વેબદુનિયા પર વાંચો