પુલકિત સમ્રાટે શેરવાની પર લખાવ્યો આ ખાસ મંત્ર, પત્ની કૃતિ ખરબંદાએ શેર કરી તસવીરો

રવિવાર, 17 માર્ચ 2024 (00:35 IST)
Pulkit Samrat wedding
પુલકિત સમ્રાટ-કૃતિ ખરબંદાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ વાયરલ થઈ ગઈ હતી. પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ 15 માર્ચ, 2024 ના રોજ ગુડગાંવમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે લગ્ન કર્યા. પુલકિત સમ્રાટની શેરવાનીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પુલકિત અને કૃતિના વેડિંગ લૂક જ નહીં પરંતુ કપલના વેડિંગ આઉટફિટ્સ પર કરવામાં આવેલી ખાસ એમ્બ્રોઈડરીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેતા પુલકિત સમ્રાટની શેરવાની પર કેટલાક ખાસ મંત્ર લખવામાં આવ્યા છે. પુલકિત તેના યુનિક આઉટફિટના કારણે ચર્ચામાં રહે છે.
 
ક્રિતીએ ચાર તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. કેટલાકમાં બંને એકબીજાને ગળે લગાવી રહ્યાં છે અને કૃતિ પુલકિતના કપાળ પર ચુંબન કરતી જોવા મળે છે. એક તસવીરમાં પુલકિત કૃતિના ગળામાં મંગળસૂત્ર પહેરાવી રહ્યો છે. લગ્ન પછી ક્રિતિ તેના વાળમાં સિંદૂર લગાવીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં હાજર લોકો કપલ પર ફૂલ વરસાવી રહ્યા છે. કૃતિ પેસ્ટલ પિંક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પુલકિત સમ્રાટની શેરવાની પર ગાયત્રી મંત્ર લખાયેલો જોવા મળ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)

 
પુલકિત સમ્રાટનાં બીજા લગ્ન  
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ હરિયાણાના માનેસરમાં અરવલ્લીની ટેકરીઓ વચ્ચે આવેલા ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં લગ્ન કર્યાં. તમને જણાવી દઈએ કે આ કપલની લવ સ્ટોરી ફિલ્મ 'પાગલપંતી'ના સેટથી શરૂ થઈ હતી. પુલકિત સમ્રાટના આ બીજા લગ્ન છે. અગાઉ 2014માં પુલકિતના લગ્ન ગર્લફ્રેન્ડ શ્વેતા રોહિરા સાથે થયા હતા, જે 2015માં તૂટી ગયા હતા અને બંનેના છૂટાછેડા થઈ ગયા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર