આ અભિનેત્રીનુ પ્લાસ્ટિક સર્જરીને કારણે થયુ મોત, પરિવારે કાયદાકીય પગલા લેવાની કરી માંગ

મંગળવાર, 17 મે 2022 (18:47 IST)
કન્નડ અભિનેત્રી ચેતના રાજનુ આજે મૃત્યુ થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો પ્લાસ્ટિક સર્જરી દરમિયાન થયેલ એક ભૂલને કારણે તેમનુ નિધન થઈ ગયુ છે. કથિત રૂપે સોમવારે અભિનેત્રીને ફૈટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારબાદ સાંજે અભિનેત્રીની તબિયત અચાનક બગડવા માંડી, તેના ફેફસામાં પાણી જમા થવા માંડ્યુ અને તેનુ નિધન થઈ ગયુ. 
 
ડોક્ટર પર બેદરકારીનો આરોપ
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રીએ સર્જરી વિશે તેના માતાપિતાને જાણ કરી ન હતી અને તે તેના મિત્રો સાથે હોસ્પિટલમાં ગઈ હતી. તે જ સમયે, ચેતનાના માતા-પિતા ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડૉક્ટરની ભૂલને કારણે તેમની દીકરીનું અકાળે મૃત્યુ થયું છે.
 
હોસ્પિટલ સામે FIR દાખલ
ચેતનાનો મૃતદેહ હાલમાં હોસ્પિટલમાં છે. તેને પોસ્ટમોર્ટમ માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. તે જ સમયે, ચેતનાના પરિવારજનોએ નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ કમિટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ચેતનાએ 'ગીતા' અને 'દોરેસાની' જેવા ડેઈલી સોપ્સમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે.
 
પિતાનું નિવેદન
ચેતના રાજના પિતા ગોવિંદા રાજનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન, અભિનેત્રીના પિતાએ ખુલાસો કર્યો કે ચેતનાને સોમવારે સવારે 8.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે અમને આ વિશે ખબર પડી ત્યાં સુધીમાં ઓપરેશન શરૂ થઈ ચૂક્યું હતું. સાંજ સુધીમાં ફેફસાંમાં પાણી અને ચરબી ભરાઈ જતાં ચેતનાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આઈસીયુમાં યોગ્ય સુવિધાઓ ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર