હેપી બર્થડે આમિર - આમિર ખાને ઉજવ્યો જન્મદિવસ, માતાને ભેટમાં આપશે ઘર

સોમવાર, 14 માર્ચ 2016 (17:55 IST)
સોમવારે આમિર ખાને પોતાના જીવનના 51 વસંત પૂર્ણ કરી લીધા. અહી એક કાર્યક્રમ દરમિયાન આમિરે પોતાનો  બર્થડે કેક કાપ્યો. આમિરે પોતાના લૉસ એંજિલ્સના ટૂરને ટૂંકાવીને મુંબઈ પોતાની માતા પાસે પરત આવ્યો. કારણ કે તેમની ઈચ્છા હતી કે પુત્ર જન્મદિવસ પર તેમની પાસે રહે. 
 
આમિર 80 વર્ષની પોતાની માતાને એક ઘર ભેટ આપશે. તે પણ બનારસમાં. આમિરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેશન દરમિયાન એલાન કર્યુ કે તે પોતાની માતા જીનત હુસૈનને એક ઘર ભેટ આપશે. આ ઘર બીજે ક્યાય નહી પણ શિવની નગરી બનારસમાં રહેશે. 
 
જીનતનો બનારસ સાથે ખાસ સંબંધ છે. તેમનુ આખુ બાળપણ બનારસની ગલિયોમાં વીત્યુ છે. જીનત કાયમ બનારસ જતી રહે છે.  તેથી આમિરનો પણ બનારસ સાથે એક ભાવનાત્મક સંબંધ બન્યો છે. આમિરે પોતાની માતાના પૈતૃક ઘરને લેવાની બધી ફોરમાલિટી પુર્ણ કરી લીધી છે.   આમિર થ્રી ઈડિયટ્સ ફિલ્મ માટે બનારસમાં શૂટિંગ કરવા ગયા હતા ત્યારથી જ આ ઘર માટે પાછળ પડ્યા હતા  જે હવે જઈને ઘરનું સપનું પુર્ણ થયુ છે.  બનારસમાં માતાના પૈતૃક ઘરને પોતાના કબજામાં લેવુ હંમેશાથી તેમનુ સપનુ રહ્યુ છે. 
 
આમિરને આ ભેટ જીનત માટે તેમના જીવનની સૌથી અણમોલ ભેટમાંથી એક રહેશે. 80ની વયમાં માણસ એકવાર ફરીથી બાળક બની જાય છે તો આ બાળપણને જીવવા માટે ફરીથી એ જ ઘર ગલિયો મળી જાય તો જીનત મટે કોઈ જન્નતથી કમ નથી.  

વેબદુનિયા પર વાંચો