જાણીતી નૃત્યાંગના સિતારા દેવીનુ નિધન

મંગળવાર, 25 નવેમ્બર 2014 (10:10 IST)
જાણીતી કથક નૃત્યાંગના સિતારા દેવીનુ ગઈકાલે રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. તેઓ 94 વર્ષની હતી. તેમનો અંતિમ સંસ્કાર ગુરૂવારે કરવામાં આવશે. 
 
સિતારા દેવીને પેટ દર્દની તકલીફ પછી મુંબઈના જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બોલીવુડમાં કથકને સ્થાન અપાવવાનો શ્રેય સિતારાદેવીને જ જાય છે. તેમણે મઘુબાલા, રેખા, માલા સિન્હા અને કાજોલ જેવી અભિનેત્રીઓને ક્લાસિકલ ડાંસની ટ્રેનિંગ આપી. 
 
સિતારા દેવીને સંગીત નાટક અકાદમી પદ્મશ્રી અને કાલિદાસ સન્માન જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોની સન્માનિત કરવામાં આવ્યા. સિતારા દેવીનુ સાચુ નામ ધનલક્ષ્મી હતુ. તેમનો જન્મ કલકત્તામાં સુખદેવ મહારાને ત્યા થયો હતો. 

વેબદુનિયા પર વાંચો