ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત રહેજા આર્કિડમાં રહે છે. ગયા અઠવાડિયે જ બીએમસીને એ માહિતી મળી કે અર્જુને પોતાની બિલ્ડિંગના ટેરેસ પર ગેરકાયદેસર નિર્માણ કરાવીને એક રૂમ બનાવ્યો છે. મતલબ આ માટે ઓથોરિટી પાસેથી અનુમતિ લીધી નથી. બીએમસીને જ્યારે આ વાતની માહિતી મળી તો તેના અધિકારીઓએ અર્જુન કપૂરને નોટિસ મોકલી આપી.