ફક્ત ભંસાલી માટે કાશીબાઈ બની પ્રિયંકા ચોપડા
અભિનેત્રી પ્રિયંકા ચોપડાનુ કહેવુ છે કે આગામી ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'માં તેમને માટે કાશીબાઈનુ પાત્ર ભજવવુ ખૂબ પડકાર રૂપ હતુ. અભિનેત્રીએ કહ્યુ કે તેમણે આ ફિલ્મ ફક્ત નિર્દેશક સંજય લીલા ભંસાલી માટે કરી છે. પ્રિયંકાએ કહ્યુ મે આ ફિલ્મ ભંસાલી માટે કરી. હુ જાણુ છુ કે મસ્તાનીના પાત્રમાં દીપિકા છે અને બાજીરાવના પાત્રમાઅં રણવીર તો પછી મે આ ફિલ્મ કેમ કરી ? પ્રિયંકા મુજબ તેમણે કાશીબાઈનુ પાત્ર ખૂબ રસપ્રદ લાગ્યુ. તેમણે કહ્યુ કે આ એક સ્ત્રી ચરિત્ર છે અને મારે માટે આ પાત્ર કરવુ ખૂબ પડકારરૂપ હતુ. મારે માટે આ ફિલ્મ ખૂબ ખાસ છે અને તેનો ભાગ બનવા માટે હુ ખૂબ ઉત્સાહિત હતી.