Anupam Shyam: ‘પ્રતિજ્ઞા’ માં સૌથી ફેમસ પાત્ર ભનવનારા ઠાકુર સજ્જન સિંહનુ નિધન

સોમવાર, 9 ઑગસ્ટ 2021 (11:51 IST)
નાના પડદા પર સૌથી ફેમસ શો પ્રતિજ્ઞા માં સૌથી જોરદાર પાત્ર ભજવનારા ઠાકુર સજ્જન સિંહ નુ ગઈકાલે રાત્રે નિધન થઈ ગયુ. અભેંતા Anupam Shyam મુંબઈના લાઈફલાઈન મેડિકેયર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી દાખલ હતા. ઉલ્લેખનીય છે કે અનુપમ શ્યામના મલ્ટી ઓર્ગેન ફેલિયરને કારણે તેમનુ નિધન થયુ છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર અનુપમ શ્યામના નિધનના સમાચાર મળતા જ અભિનેતા યશપાલ શર્માહોસ્પિટલ પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે 'મને ખબર પડી કે તેમનુ નિધન થઈ ગયુ છે તેથી હુ તરત દોડી આવ્યો, આવીને જોયુ તો તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. ડોક્ટરોએ થોડા સમય પછી તેમને મૃત જાહેર કર્યા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર