અભિનેતા નીરજ ભારદ્વાજને 'દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોર્ડ-2022'થી સન્માનિત કરવામાં આવ્યા

રવિવાર, 4 ડિસેમ્બર 2022 (22:16 IST)
દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોર્ડ-2022'નું આયોજન 3 ડિસેમ્બર 2022ના રોજ અંધેરી (વેસ્ટ) સ્થિત 'મેયર હોલ' ખાતે કરવામાં આવ્યું હતું,જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.  જે સિદ્ધિ ટેલિવિઝન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.જેમાં પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા નીરજ ભારદ્વાજને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સુનિલ પાલના હસ્તે 'દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોર્ડ-2022'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યાં ફિલ્મ લેખક રાજન અગ્રવાલ,ગીતકાર ઝાહિદ અખ્તર,ફિલ્મ કલાકારો, ટેકનિશિયન,રાજકારણીઓ,પોલીસ અધિકારીઓ વગેરે જેવા મોટા અને પ્રખ્યાત લોકો કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમને શોભાવ્યો હતો.

         આ પ્રસંગે અભિનેતા નીરજ ભારદ્વાજે જણાવ્યું હતું કે,"એવોર્ડ ગમે તે હોય,તે લોકો માટે સન્માનની વાત છે.એવોર્ડ હંમેશા લોકોનું મનોબળ વધારતું હોય છે અને જવાબદારીનો અહેસાસ પણ કરાવે છે કે તમારે ભવિષ્યમાં વધુ સારા કામ કરવાના છે.હું એવોર્ડ કમિટીના લોકોનો આભાર માનું છું, જેમણે મને આ એવોર્ડ આપ્યો."
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર