સત્યમેવ જયતે - આમિર ખાન મેલું ઉઠાવતા લોકોની સમસ્યા માટે પીએમને મળશે

P.R
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એક્ટર આમિર ખાન આજે નવી દિલ્હીમાં દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહને મળશે અને તેમની સામે માથે મેલું ઉઠાવતા લોકોની સમસ્યા રજૂ કરશે. આમિરના એક સહયોગીએ રવિવારે જણાવ્યુ હતું કે આમિર સોમવારે સવારે પ્રધાનમંત્રીને મળશે.

તેમણે જણાવ્યુ હતું કે અન્ય મુદ્દાઓ સહિત આમિર દેશના વિવિધ હિસ્સાઓમાં હજી પણ ચાલી રહેલી માથે મેલું ઉપાડવાની પ્રથાનો સામનો કરી રહેલા લોકોની સમસ્યા પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરશે. આમિર આ મુદ્દાને પોતાના ટીવી શો 'સત્યમેવ જયતે'ના એપિસોડમાં ઉજાગર કર્યો હતો.

અંદાજે 3,00,000 લોકો આજે પણ માથે મેલુ ઉપાડવાનું કામ કરે છે અને સમાજ તેમને ઉપેક્ષાની નજરે જુએ છે.

વેબદુનિયા પર વાંચો