ભાગ્યશ્રીને હવે થયુ ભાન

N.D
જાણીતો ટીવી શો 'ઝલક દિખલા જા'માંથી અભિનેત્રી ભાગ્યશ્રી બહાર થઈ ગઈ. જેમ કે આ રમતોનુ ચલણ છ, ભાગ્યશ્રીએ પણ રમતમાંથી બહાર થયા પછી પોતાની ભડાશ કાઢી. તેમના મુજબ 'ઝલક દિખલા જા' નામનો કાર્યક્રમમા ફક્ત અફવા ફેલાવવા અને એક બીજાની વચ્ચે દુશ્મની ઉભી કરવા જેવા કામ કરવામાં આવી રહ્યા છે. એ ફરિયાદ કરે છે કે આ કાર્યક્રમ નૃત્ય પર આધારિત નથી. જેવો કે તેનો પ્રચાર કરવામાં આવ્યો છે. તેમના મુજબ 'ઝલક...' મારા માટે નૃત્ય શીખવાનો એક સારો માધ્યમ હતુ પરંતુ કાર્યક્રમમાં જોડાયા પછી મને ખબર પડી કે આ ફક્ત નૃત્યનો કાર્યક્રમ નથી, પરંતુ તેઓ (કાર્યક્રમ નિર્માતા) મસાલેદાર રસપ્રદ અફવાઓ, પરસ્પર દુશ્મની, હરિફાઈ, પ્રેમનો દેખાવ વગેરે માંગતા હતા. હું આ બધાનો એક ભાગ નથી બની શકતી કારણ કે આ મારી રીત જ નથી.

આપણને તો ભાગ્યશ્રીની નિર્દોષતા પર આશ્વર્ય થવુ જોઈએ. કમાલ છે કે ગ્લેમર જગત સાથે જોડાયેલી હોવા છતા તેમને આ ટીવી શો ની અસલિયત હવે ખબર પડી ? એ પણ શો માંથી બહાર થયા પછી, જ્યારે કે આવા શોજ ની હકીકત તો બાળકોથી માંડીને મોટેરાઓ પણ જાણે છે.

વેબદુનિયા પર વાંચો