અભિષેકે ઉમેર્યું હતું કે ,જીવનમાં આગળ વધવા માટે સુખ દુખ અને ઉતાર ચઢાવ જરૂરી છે. તેના વગર જિંદંગી ખૂબ નીરસ થઈ જશે ગત અનુભવ અને નિષ્ફળતાઓ જ કોઈ વ્યક્તિને સફળતાની સીડી ચઢવાની પ્રેરણા આપે છે. હું હમેશા કોઈ ફિલ્મ હાથ પર લઉં તે પહેલાં મારા પિતા અમિતાભ બચ્ચન સાથે વિચાર વિમર્શ કરું છું. તેમનો અનુભવ અને સલાહ મારા માટે ખૂબ કિમતી છે.