વાંધો ઉઠાવનારા આ કાર્યકર્તાઓમા મહિલા અને બાળકોના અધિકાર માટે લડનારા અનેક લોકોનો સમાવેશ છે. તેમા ફરાહ નકવી, હર્ષ મંદર અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની પૂર્વ અધ્યક્ષ શાંતિ સિન્હાનો પણ સમાવેશ છે. સામાજીક કાર્યકર્તાઓના આ સમુહે એશ્વર્યાને ચિઠ્ઠી લખીને પોતાની નારાજગી દર્શાવી છે. જેમા એશ્વર્યા પર બાળશ્રમને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તેમને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વિવાદીત જાહેરાતથી દૂર રહે.