બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ અને ગોલ્ફર જ્યોતિ રંધાવા વચ્ચે અણબનાવ હોવાના સમાચાર છેલ્લાં કેટલાંક સમયથી આવી રહ્યા હતા અને તેઓ એકબીજાથી અલગ થઈ જવાનું વિચારતા હતા. જોકે, આજે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સેલિબ્રિટિ કપલે છૂટાછેડા લઈ લીધા છે.
ગુડગાંવની ફેમિલી કોર્ટે છૂટાછેડા પર મહોર મારી દીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ બંનેએ ગત વર્ષે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે તે સમયે કોર્ટે બંને વચ્ચે સમાધાન કરાવીને અલગ ન થવા અંગે કહ્યું હતું. તેમ છતાં પણ બંને વચ્ચે કોઈ મનમેળ સધાતા કોર્ટે નાછૂટકે છૂટાછેડાના કાગળો પર મહોર મારી હતી. આ દંપતિને એક પુત્ર પણ છે. જેનું નામ જોરાવર છે. અદાલતે પુત્રને તેની માતા ચિત્રાગંદા પાસે રહેવાની મંજૂરી આપી છે.