એક્ટ્રેસ કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવાની તૈયારીમાં છે. કરિશ્માના પ્રથમ લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા પણ હવે તે લગ્ન તૂટી ચુક્યા છે. તે પોતાના પતિ સંજય કપૂરથી છુટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી ચુકી છે. સૂત્રોના મુજબ છુટાછેટા પછી કરિશ્મા પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. બીજા લગ્ન કરવા માંગે છે.
આ બંનેની ફ્રેંડશિપ ખૂબ જૂની નથી પણ બંને એકબીજાની કંપનીને ખૂબ પસંદ કરે છે. સૌથી મોટી વાત એ છે કે બંનેનો પરિવાર પણ આ સંબંધથી ખૂબ જ ખુશ છે. જો કે કરિશ્માએ હજુ સુધી આ સંબંધને લઈને કોઈ નિવેદન નથી આપ્યુ પણ સૂત્રોનુ માનીએ તો સંજયથી છુટાછેડા મળતા જ આ કપલ લગ્નના બંધનમાં બંધાય જશે. કરિશ્માના પ્રથમ લગ્ન 2003માં સંજય કપૂરની સાથે થયા હતા.