પોલીસના સુત્રો મુજબ રવિ પુજારી ખાન પરિવાર અને ભટ્ટ પરિવાર પાસે સતત વસુલી માંગી રહ્યા હતા. જે ન મળતા પુજારીએ પોતાના ગુર્ગી દ્વારા મહેશ ભટ્ટ કે તેમના પરિવારના એક સભ્યને મારવા મોકલ્યો. જેની માહિતી ક્રાઈમ બ્રાંચની ટીમને લાગી ગઈ. પોલીસે જાળ પાથરીને આ બાબતે રવિ પુજારીના 13 ગુંડાઓની ધરપકડ કરી. તેમની ધરપકડથી એ ખુલાસો થયો કે પુજારીના નિશાના પર ભટ્ટ ઉપરાંત શાહરૂખ ખાન અને ફરાહ ખાન પણ છે.
જો કે આ પહેલા પણ રવિ પુજારી મહેશ ભટ્ટ પર હુમલો કરી ચુક્યા છે. ડિસેમ્બર 2006માં રવિ પુજારીને ફિરોતીની રકમ ન આપતા મહેશ ભટ્ટના જુહુ ઓફિસમાં ગોળીબાર કરાવ્યો હતો. મહેશ ભટ્ટનો જીવ એ સમયે બચી ગયો હતો કારણ કે તેઓ એ સમયે ઓફિસમાં નહોતા. રવિ પુજારીના 13 ગુંડાઓની ધરપકડથી પોલીસનો અલી મોરાનીના ઘર પર થયેલ ફાયરિંગનો કેસ ઉકેલાઈ ગયો છે.