નાની-નાની 7 આદતો જેને કારણે વધે છે ગ્રહોની અશુભ અસર, જાણો ઉપાય

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (13:00 IST)
કેટલીક આદતો એવી હોય છે જેને કારણે ગ્રહોની અશુભ અસર વધે છે. જેવુ કે પ્રથમ્મ આદત છે કેટલાક લોકો ફાલતૂ પાણી વહાવે છે. પાણીનો દુરુપયોગ કરવાથી ચંદ્રમાનો દોષ વધે છે.  ચંદ્રમાના અશુભ હોવાથી ઘરની મહિલાઓની તબિયત ખરાબ થાય છે. ઘરમાં રહેનારા લોકોનુ ટેંશન વધે છે અને પરિવારના સભ્ય નકારાત્મકતાનો શિકાર થાય છે. તો બીજી આદત છે કે કેટલાક લોકો ખાવાનુ એઠુ છોડી દે છે. આવુ કરવાથી મંગળ અને શુક્ર બંનેની અશુભ અસર વધે છે. આ જ કારણે કેટલાક લોકોને ઘરમાં વિવાદ થાય છે. અને પૈસા ટકતા નથી. આ પ્રકારની એવી અનેક આદતો છે જેને જો આપણે બદલી નાખીએ તો ગ્રહોની અશુભ અસરથી બચી શકાય છે. 
 
આવો જાણીએ લોકોની આવી જ અન્ય આદતોને કારણે ગ્રહો પર પડતી અશુભ અસરથી બચવાના ઉપાય (Video) 
 
બેઠા બેઠા પગ હલાવવા - કેટલાક લોકોને બેસ્યા બેસ્યા પગ હલાવવાની ટેવ હોય છે કે જેવા જ વ્યક્તિ બેસે છે તેના પગ હલવા માંડે છે. જ્યોતિષ મુજબ જે વ્યક્તિ આવુ કરે છે તેની કુંડળીમાં બુધ અને શનિ બંને અશુભ થવા માંડે છે. આ પ્રકારની સમસ્યાના સમાધાનના રૂપમાં શનિવારે પીપળને જળ ચઢાવો અને બુધવારે ગાયને મગ ખવડાવો 
 
વારે ઘડીએ ખંજવાળવાની ટેવ - ખંજવાળ આવવી એ એક સ્વભાવિક ક્રિયા છે. પણ કેટલાક લોકોને આની ટેવ પડી જાય છે. જે લોકો સામાન્યથી વધુ શરીરમાં ખંજવાળ કરતા રહે છે. ક્યારેય વાળમાં તો ક્યારેય શરીર પર ખંજવાળતા રહે છે. આવા લોકો પર કેતુની અશુભ અસર વધવા માંડે છે. તેનાથી બચવા માટે સવાર સાંજ કુતરાને રોટલી ખવડાવો 
 
દરેક સમયે હલતા રહેવુ - તમે જોયુ હશે કે કેટલાક લોકો વાત કરતી વખતે ફાલતૂ હલતા રહે છે.  આવા લોકો આદતને કારણે એક પોઝિશનમાં ઉભા રહીને કે બેસીને વાત કરી શકતા નથી.  આ પ્રકારના લોકોની સ્મરણ શક્તિ પણ નબળી થઈ જાય છે.  આ વ્યક્તિઓને ખૂબ જ પરસેવો આવે છે. આવી ટેવને કારણે ગુરૂ અને બુધ બંનેનો અશુભ પ્રભાવ જોવા મળે છે.  તેનાથી બચવા માટે ગણેશ મંદિરમાં કાંસાના વાસણ કે મગના લાડુ ચઢાવો 
 
ફાલતુ વાતમા સમય આપવો અને કારણ વગર સલાહ આપવી - કેટલાક લોકોને ટેવ હોય છે કે તેઓ કારણ વગર બીજાની વાતમાં પોતાના વિચાર જણાવે છે.  આ કારણે આ લોકો ન ઈચ્છવા ચહ્તા બીજાને પરેશાન કરી નાખે ચ હે. અને ખુદ પણ પરેશાન રહે છે. ગુરૂના અશુભ પ્રભાવને કારણે આવુ થાય છે.  તેનાથી બચવા માટે આ આદતને બદલવાની કોશિશ કરો. બીજી બાજુ કોઈ મંદિરમાં હળદર ચંદન અને કેસરનુ દાન કરવાથી બૃહસ્પતિની અશુભ અસર ખતમ થાય છે. 
 
વારે ઘડીએ ખાવુ કે જલ્દી ભૂખ લાગવી - કેટલાક લોકોને વારેઘડીએ કંઈકને કંઈક ખાવાની ટેવ હોય છે.  આવુ ઠીક નથી. આવુ કરવાથી સૂર્યનો દોષ વધવા માંડે છે અને સૂર્યની અશુભ અસર વધે છે. જેના પ્રભાવથી અધિકારીઓ કે સરકારી કાર્યોમાં અવરોધ આવે છે.  સૂર્યના અશુભ પ્રભાવથી આસપાસના લોકો અને સાથે કામ કરનારા લોકો સાથે વિવાદ થવા માંડે છે. તેનાથી બચવા માટે સૂર્યોદય પહેલા ઉઠવુ જોઈએ અને રોજ સૂર્યને જળ ચઢાવવુ જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર