સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે

શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (13:08 IST)
'ડેક્કન હેરાલ્ડ'નો અહેવાલ જણાવે છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાંથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે.
પ્રવાસન વિકસાવવાના ભાગરૂપે હોટલ તેમજ અન્ય સુવિધાઓ માટે નવાગામ, કેવડિયા, વાધડિયા, લીંબડી, કોઠી અને ગોરા ગામના આદિવાસીઓનું સ્થળાંતર કરવામાં આવશે તેમ અહેવાલ જણાવે છે.
આ અંગે તાજતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હોવાની માહિતી પણ અખબાર આપે છે.
જાહેરહિતની અરજીમાં સરકાર હોટલ, ટાઇગર સફારી, 33 રાજ્યોનાં ભવનો વગેરે માટે આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી હોવા અંગે દાદ માગવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર