નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
આ પહેલાં પર વિવેક ઓબેરૉય મોદી પર ફિલ્મ બનાવી ચૂક્યા છે અને મોદી પર અનેક ડૉક્યુમેન્ટરી બની ચૂકી છે.
આ ફિલ્મ મામલે વાત કરતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું, "આ કહાણી યુનિવર્સલ અપીલ કરશે. કહાણી પર ખૂબ રિસર્ચ કરવામાં આવ્યું છે. યુવા અવસ્થામાં વડા પ્રધાનની જિંદગીમાં આવેલા ટર્નિંગ પૉઇન્ટે મને ઉત્સાહિત કર્યો. મને લાગે છે કે આ અજાણી કહાણીને દર્શાવવી જોઈએ."